Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીનુ નિપજેલ મોત

Share

 

( હારૂણ પટેલ ભરૂચ )

Advertisement

ભરૂચના ભોલાવ એસ.ટી વર્કશોપના ટાયર પ્લાન્ટ નજીક કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ મોત નિપજ્યુ હતુ.મળતી માહિતી મુજબ ભરૂચના એસ.ટી વર્ક શોપ ખાતે આવેલ ટાયર પ્લાન્ટમા વડોદરાના પાણી ગેટ બસ ડેપો ફરજ બજાવતા સંજય કુમાર ધિરજલાલ પંડયા ઉ.વ આશરે ૫૦ કોઈ કામ અર્થે ભોલાવ વર્કશોપ ખાતે આવ્યા હતા. તે સમય દરમ્યાન નજીકમા શોચક્રીયા માટે નજીકમા ગયા હતા. એ દરમ્યાન અચનાક સંજય ભાઈએ બુમ પાડતા નજીકમા ઉભેલા વ્યક્તિઓ સંજય ભાઈ પાસે પહોંચી ગયા. ૧૦૮ ઈમરજંસી સેવા ધ્વારા તેમણે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યા તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તારણ મુજબ તેમણે હાથના ભાગે કે પગના ભાગે કરંટ લાગતા તેમણુ મોત નિપજ્યુ હોવાનુ અનુમાન કરાઈ રહ્યુ છે. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.


Share

Related posts

અંકલેશ્વરમાં ઉદ્યોગો બન્યા બેફામ : વરસાદી પાણીના વ્હેણમાં કેમિકલ યુક્ત પાણી છોડયું ..!

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવા સરકારનો આદેશ.

ProudOfGujarat

દેડીયાપાડાના પાટડી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના” પાંચમાં તબક્કાનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!