Proud of Gujarat
INDIAFeaturedGujaratUncategorized

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ

Share

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ

પાલેજ તા.૧૬

Advertisement

દેશ ભરમાં પુલવામાં આતંકી હુમલા માં શહીદ થયેલા વીર જવાનો પ્રત્યે ઘેરા શોક ની લાગણી પ્રવર્તી રહી છે વીર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પાલેજ ખાતે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું

પાલેજ ઝંડાચોક વિસ્તાર થી સમગ્ર પાલેજ ગામના અગ્રણીઓ વેપારીઓ દ્વારા આંતકવાદી હુમલાને વખોડી હાઇવે સ્થિત પોલીસ મથક સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દૂ-મુસ્લિમ બિરાદરો તેમજ વેપારીઓ ઉપરાંત પાલેજ ગ્રામ પંચાયત નાં સદસ્યો, સરપંચ જોડાયાં હતાં.

પાલેજ પોલીસ મથકે કેન્ડલ માર્ચ ને વિરામ આપી સહીદો નાં માન માં બે મિનિટ નું મૌન પાળી કેન્ડલો મૂકી હિન્દુસ્તાન ઝીંદાબાદ,સહીદો અમર રહો,હમ સબ એક હૈ,નાં નારા લગાવ્યા હતાં. આ પ્રસંગે ગુજરાત જમીયતના સેક્ર્ટરી અબ્દુલ કૈયુમ પટેલ,રસિક પટેલ,નવીન ચૌહાણ,જેન્તી પટેલ,સલીમ વકીલ,ઝાકીર બુટવાળા,કેતન ભટ્ટ,વીરેન્દ્ર સિંહ ગોહિલ સહિત પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઓ.બી.સી. મોરચાનાં પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં બની રહેલ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગનાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!