Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટના ઉપ સરપંચની દાવેદારીમાં થયેલ ખોટી સહી બાબતે ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે ભરૂચ જિલ્લા કલેકટરની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

ગામ બોરભાઠા બેટના ઉપ સરપંચની દાવેદારીમાં થયેલ ખોટી સહી બાબતે ઉમેદવારનો ફોર્મ રજુ કરવા બાબતે કલેકટરને આવેદપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ઉપસરપંચનાં દાવેદાર ધર્મેશ નારણભાઈ પટેલનાં જણાવ્યા અનુસાર બોર ભાઠા બેટ ખાતે તારીખ ૦૪-૦૨-૧૮ નાં રોજ ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામે ૦૬-૦૨-૧૮ના રોજ આવતા ઉપ સરપંચ ની વરણી અંગે ચૂંટી કમિશનર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

તેના અનુસંધાને તા.૨૩-૦૨-૧૮ના રોજ ચૂંટણી કમિશનર ગ્રામ પંચાયત કચેરીએ હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતના ઉપ સરપંચ અન્ય દાવેદાર પ્રફુલ કાશીરામ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમના ઉમેદવારીના સમર્થનમાં ટેકો આપનાર ચૂંટાયેલ સભ્ય રીના બેન જયંતીભાઈ પટેલ હાજર ના હોવા છતાં તેમના પતિ જયંતીભાઈ રામુભાઈ પટેલે પોતે જાતે પોતાની પત્ની રીનાબેન જયંતીભાઈ પટેલના નામથી ટેકેદાર તરીકે સહી કરી ચૂંટી કમિશનરને આપેલ છે તેથી ઉપ સરપંચનાં દાવેદાર ઉમેદવારનાં ટેકેદારની સહી બોગેશ સાબિત થઇ હતી. આ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઉપસરપંચનાં દાવેદાર પ્રફુલ કાશીરામ પટેલની દાવેદારી રદ કરવા વિનંતી કરેલ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામા તાપમાનનો પારો છેલ્લા વર્ષોના રેકોર્ડ તોડશે.જાણો કેમ ?

ProudOfGujarat

વડોદરા : કડીવાળા ઘાંચી સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિદેશમાં મંકી પોક્સ વાયરસના વધતા જતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લીધો મોટો નિર્ણય…જાણો.

ProudOfGujarat
error: Content is protected !!