Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ – પારડી વચ્ચે રેલવે વીજ કેબલ તૂટ્યો : મુંબઈ-સુરત રેલ વ્યવહાર ખોરવાયો:અનેક ટ્રેનો મોડી: મુસાફરો અટવાયા શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ લેઇટ : વીજતારનું સમારકામ શરૂ

Share

વલસાડ-પારડી વચ્ચે રેલવેનો વીજ કેબલ તૂટ્યો પડ્યો હતો  જેના કારણે અનેક ટ્રેનો સમય કરતા મોડી આવશે અને ઉપડશે તેવીશકયતા છે રેલવે વીજ કેબલ તૂટતા મુંબઈ – સુરત રેલ વ્યવહાર ખોરવાયો છે અને શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ મોડી પડશે. હાલ મુંબઈથી સુરત જતા મુસાફરો અટવાયા  છે   દરમિયાન રેલવે વિભાગ દ્ગારા વીજતારનું સમારકામ  શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ તે જાણકારી આપવામાં આવી નથી કે કેટલા સમયમાં આ વીજ કેબલનું સમારકામ સંપૂર્ણ થઇ જશે કે રાબેતા મુજબ રેલ વ્યવહાર શરૂ થઇ શકે.  એકતરફ મુંબઇમાં વરસાદને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે અને મુંબઇથી સુરત આવનારા લોકો હવે વીજ કેબલના તૂટવાને કારણે ટ્રેનો મોડી પડશે તેના કારણે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું

ProudOfGujarat

ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ના ભાગરૂપે લગાવવા માં આવેલ રંગ બે રંગી લાઈટો ના પ્રકાશ માં ભરૂચ શહેર ના માર્ગો ઝગમગી ઉઠ્યા હતા …

ProudOfGujarat

ભરૂચ-જિલ્લા સમાહર્તા સમક્ષ રીક્ષા એસો,નાં સભ્યો પહોંચ્યા અને જૂના ભરૂચ વિસ્તાર માટે શું કરી રજુઆત…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!