Proud of Gujarat
FeaturedGujaratINDIA

પીઆઇ સોનારાની બદલી ૨૪ કલાકમાં રોકોઃ આહિર સમાજ

Share

આજે પોલીસ કમિશ્નર અને કલેકટર સમક્ષ આહિર એકતા મંચ, અખિલ ભારતીય યદુવંશી મહાસભા અને વિર દેવાયતબાપુ બોદર સમિતી સહિત આહિર સમાજના સંગઠનોના અગ્રણીઓએ લેખિત રજૂઆત કરી ભાજપના હોદ્દેદાર દિનેશ કારીયા સાથેની ખેંચતાણમાં બદલીનો ભોગ બનેલા પીઆઇ બી. પી. સોનારાની બદલી ચોવીસ કલાકમાં રોકવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા અને પોલીસ તંત્ર રસ્તા પરના દબાણો સંયુકત રીતે હટાવવાની ઝુ઼બેશ ચલાવી રહ્યું છે. તા. ૬ના રોજ આ રસ્તા પર થયેલા દબાણમાં કોઇ રાજકિય આગેવાનનું પણ દબાણ હતું. તે દરમિયાન ફરજ પરના પીઆઇ સોનારાએ કાયદો બધાને માટે સમાન ગણી રાજકિય વ્યકિતનું દબાણ પણ હટાવવા પોતાની ફરજ બજાવી હતી. જે મુદ્દે રાજકિય પાવરથી પીઆઇ સોનારાની બદલી કરવામાં આવી છે. કોઇ ઓફિસર પોતાની ફરજ ઇમાનદારી પુર્વક બજાવે તેમની સાથે આવું થાય તે યોગ્ય નથી. માટે આહિર સમાજ વતી અમારી માંગણીને સરકાર સુધી પહોંચાડવા અરજ છે.

Advertisement

Share

Related posts

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે ઇનર વ્હીલ ક્લબ અને ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ દ્વારા ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : પાયા વિહોણી જગ્યા સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠે નોંઘાવેલ ફરિયાદ રદ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામમાં શાળાની દીવાલ ધરાશાયી થતાં 6 બકરાના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!