Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણના કંડારી નજીક અજાણ્યા વાહન ચાલકે માર્ગ ક્રોસ કરી રહેલા ત્રણ ઈસમને અડફેટે લેતા બે ના મોત.

Share

નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના કંડારી ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે માર્ગ ક્રોસ કરી રહેલા ત્રણ ઇસમોને અડફેટે લેતા બે ઇસમોના મોત નિપજવા પામ્યા હતા જ્યારે અન્ય એક ઇસમને ઈજાઓ થવા પામી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંડારી ગામમાં રાખેલ ભાથીજી મહારાજના ભંડારામાં જમવા માટે જતા ફરીયાદીના પતિ હરીભાઈ રામસંગભાઈ વસાવા તથા જયેશભાઇ લાલુભાઇ રાઠવા તથા પીયુષભાઈ મુકેશભાઈ રાઠવા નાઓ કંડારી ગામ નજીક ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે વખતે વડોદરા તરફથી એક અજાણ્યા વાહન ચાલક તેનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ત્રણેયને અડફેટે લેતા હરીભાઈ રામસંગભાઈ વસાવા તથા લાલુભાઇ કેસરીયાભાઇનો દીકરો જયેશભાઇ લાલુભાઇ રાઠવા ઉ.વે, ૦૮ નાઓનુ સ્થળ ઉપર મોત નિપજવા પામ્યું હતું. જ્યારે પીયુષભાઇ મુકેશભાઇ રાઠવા નાઓને શરીરે ઓછીવત્તી ગંભીર ઇજાઓ થવા પામી હતી. અક્સ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સુરત : ઓલપાડના મોર ગામના દરિયાકાંઠે વ્હેલને પાણીમાં તરતી મૂકવાના ગણતરીના કલાકોમાં મૃતદેહ આવતા દરિયાકાંઠે દફનાવાયો

ProudOfGujarat

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી શહેરમાં રહ્યું આજે પાણી કાપ, આવતી કાલે માર્ગો પર અંધાર પટ.

ProudOfGujarat

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!