Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પુર્ણ થતા સાંસરોદ સ્થિત જુમલા હોલમાં ઉજવણી કરાઈ

Share

| પાલેજ ।

પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત જુમલા હોલમાં કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પુર્ણ થતા ઉજવણીની સાથે સાથે એક ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સમાજના ભૂલકાઓએ નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો, આગેવાનો, ટેલેન્ટેડ યુવાનો, યુવતીઓનું ટ્રોફી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

Advertisement

ત્યારબાદ વકતા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે તેનો સુંદર ચિતાર રજુ કરી સમાજલક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઈ જવા આહવાન કર્યુ હતુ. સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મુકયો હતો. કલા શરીફ સ્કુલના આચાર્ય ઈરફાન મુલતાનીએ જણાવ્યુ હતુ કે, આજે કાઠીયાવાડી મુલતાની સમાજના ૧૦૦ વર્ષ પુર્ણ થતા અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. અમારા પીરે તરીકત સૈયદ અલ્હાજ બાવા, સમાજના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ. સમાજનો ખુબ મોટો ફાળો છે. સમાજના ઉત્થાનમાં અમારા સમાજના દરેક મિત્રોનો ફાળો છે. અમે આગળ પણ સમાજલક્ષી કાર્યો ભેગા મળીને કરીશું.


Share

Related posts

વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી.

ProudOfGujarat

ભરૂચ-ભાડભૂતમાં 2000થી  વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું

ProudOfGujarat

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!