Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ધારાસભ્ય છોટુ વસાવાએ પત્ર લખી મુખ્યમંત્રી પાસે માંગણી કરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા વિધાનસભાનાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી ટ્રાયબલ પ્રોજેકટ હેઠળના પ્રાયોજનનાં વહીવટદાર કચેરીઓ ખાતે અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા માંગ કરી છે. વધુમાં ધારાસભ્ય છોટુ ભાઈ વસાવાએ લખેલ પત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં કાચા પાકા ઝૂંપડામાં રહી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો ચોમાસુ નજીક આવે ત્યારે રહેઠાણનાં ઘરોમાં ઘાસચારો ભરી રાખે છે,યોગ્ય લાઈટ ફિટિંગના અભાવે શોર્ટ સર્કિટનાં કિસ્સાઓ બનતા આવ્યા છે. આગ લાગવાના બનાવો રોકવા માટે ૧૨ જેટલા પ્રયોજના કચેરીઓનાં મુખ્ય મથકે અગ્નિશામકદળ તથા ફાયર સેફટીમાં સાધનો ઉભા કરવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના બરડી ગામે અને માંગરોળના શાહ ગામે રૂ. ૧૪ કરોડના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનોનું ભૂમિપૂજન કરાશે.

ProudOfGujarat

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

ભરૂચ સિટી પોલીસનાં કાર્યક્ષેત્રમાં કાંટા ધરાવતું ફૂલ ગુલાબી પ્રોહીબિશનનું ચિત્ર… ઉપર આંકડાકીય માયાજાળમાં કામગીરી દેખાય જયારે વાસ્તવમાં ગલીગલી બુટલેગરોનું શોર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!