Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સિંધવાઈ માતાનાં મંદિર પાસે વૃક્ષ ધરાશાય થયું

Share

ભરૂચ નગર સિંધવાઈ માતાનાં પ્રાચીન મંદિર પાસે આવેલ એક વૃક્ષ ધરાશાય થયું હતુ. કડાકા ભેર આ વૃક્ષ ધરાશાય થયું હતુ. આ તોતિંગ વૃક્ષ તૂટી પડયું તેની પાસે જ સાંસદ મનસુખ વસાવાની કાર પાર્ક કરેલ હતી. સાંસદ મનસુખ વસાવા મિટિંગમાં હાજરી આપવા વિશ્વકર્માની વાડીમાં આવ્યા હતા તેમની કારને કોઈ નુકશાન થયું ન હતું.

જોકે આ ઘટનાનાં પગલે નાસભાગ મચી ગઇ હતી. આ તોતિંગ વૃક્ષ ધરાશાય થતાં તરત જ ફાયરબ્રિગેડનાં જવાનોને જાણ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ થઈને શક્તિનાથ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. જોકે ગણતરીનાં સમયમાં ફાયરબ્રિગેડનાં જાવાનોએ રસ્તા પરથી ઝાડ દૂર કરાતા ટ્રાફિકની સમસ્યા હળવી તહતા વાહન વ્યવહાર ધીમે ધીમે શરૂ થયો હતો.

પરંતુ સાંસદ મનસુખ વસાવાની કાર નજીક જ વૃક્ષ ધરાશાય થઈ હોવાની ઘટના વાયુવેગે ફેલાતા સાંસદ પર સંખ્યાબંધ ફોન આવ્યા હતા અને કેટલાક લોકો ઘટના સ્થળ પર આવી ગયા હતા.

Advertisement

Share

Related posts

નવસારી : ચીખલીનાં ઘેજ ગામમાં રહેતા ઠાકોર પરિવારના યુવાનનું કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં થયું સિલેક્શન.

ProudOfGujarat

જીવલેણ અકસ્માત – ભરૂચ કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર યુવાનોના કમકમાટી ભર્યા મોત

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલનાં બજાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આજથી ચાર દિવસ સુધી આખો દિવસ ખુલ્લા રહશે ત્યારબાદ તા. 5/8/20 થી 11/8/20 સુધી સંપૂર્ણ બજારો લોકડાઉન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!