Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં તાઉતે વાવાઝોડાની નહિવત અસર : કોઈ જાનમાલને નુકશાની નહીં.

Share

જામનગરમાં ગઇકાલે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો. ત્યારે જામનગર સહિતના આસપાસના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાની અસર નહિવત જોવા મળી છે તેમજ પવનની ગતિમાં વધારા સાથે જિલ્લા મથકોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

જામનગરમાં તાઉતે વાવાઝોડાને લઈને તંત્ર સતત એલર્ટ રહ્યું હતું. જામનગરના સાંસદ સભ્ય, મેયર, ધારાસભ્યો સહિત નાઓ કંટ્રોલ રૂમ ખાતે આખી રાત ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર અને સાંસદ દ્વારા રાત્રિના સમયે બેઠક યોજી દરિયાકાંઠાની સમીક્ષા કરવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારોમાંથી 10 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોને દરિયો ના ખેડવાની આગાહી કરવામાં આવી હતી. તો જિલ્લાના તમામ સિંચાઇ યોજનાના ડેમ, જળાશયો, ચેકડેમ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

Advertisement

અહીં નોંધનીય છે કે તાઉતે વાવાઝોડાની જામનગર તેમજ આસપાસના વિસ્તારોમાં અસર નહિવત થશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવાયું હતું.


Share

Related posts

“सीक्रेट सुपरस्टार” की अपार सफलता के लिए आमिर खान करेंगे एक पार्टी की मेजबानी !

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીનાં વેર હાઉસમાંથી ૨૨ લાખ રૂપિયાનો સામાન ચોરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!