Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજનો સમૂહ જવારાનું પૂજન કરાયું.

Share

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજ પરિવારના સમૂહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 પરીવારના જવારાની શાસ્ત્રોકત વિધિપૂર્વક ગામના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. ક્ષત્રિય પરિવારના સમૂહ જવારામા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

જૂના તવરા ક્ષત્રિય સમાજ દ્વારા સમુહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 પરિવારના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. જૂના તવરા ગામે આવેલ ચિંતનાથ મહાદેવ મંદિરે 10 એપ્રિલના રોજ માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી તથા ૧૪ એપ્રિલના રોજ માતાજીની ગ્રહશાંતિ બપોરે 2 કલાકે શ્રીફળ હવન સાંજે 4 કલાકે માતાજીને ઘરે સાજે 5 વાગ્યે લવાયા હતા અને સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ આને રાત્રે રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં જુના તવરા ગામના સમસ્ત ગ્રામજનો અન્ય સમાજના લોકો પણ આ ઉત્સવમાં જોડાઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

૧૪ એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યે માતાજીની શોભાયાત્રા ચિંતનાથ મહાદેવ મંદિરથી નીકળી વડવાળા મેદાને શોભાયાત્રા પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનો શોભાયાત્રામાં જોડાયા હતા. ડી.જે ના તાલ સાથે ભક્તિમય ગીતોના સથવારે નીકળેલી શોભાયાત્રા ગામ લોકો ઝુમી ઉઠ્યા હતા. ભક્તિમય માહોલમાં શ્રદ્ધા ભેર માતાજીના જવારા પોતાના ઘરે લઇ ગયા બાદ 15 એપ્રિલના રોજ નર્મદા નદીમાં સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન સમગ્ર ગામમાં પાંચ દિવસ દરમિયાન ભકિતમય વાતાવરણ સર્જાઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી : ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા : અંકલેશ્વર GIDCની વંદના કેમિકલ કંપની સહિત 20 સ્થળે સર્ચ ઓપરેશન

ProudOfGujarat

મહોરમ અંગે સૌથી મોટા સમાચાર: મુસ્લિમ આગેવાનો અને પોલીસની વચ્ચે બેઠકમાં લેવાયો આ નિર્ણય

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોકમાં વકીલ દ્વારા બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!