Proud of Gujarat
GujaratFeaturedINDIA

વ્યારા ખાતે ગુજરાત ગણેશ ચોકનુ લોકાર્પણ કરાયું.

Share

તા.૩૧ મી ઓગષ્ટ – ૨૦૨૨ ગણેશ ચતુર્થીના પવિત્ર દિને વ્યારા નગરપાલિકાના વોર્ડ નં.૨ મા ગુજરાત ગણેશ મંડળ, માલીવાડ, વ્યારાની માંગ મુજબ વોર્ડ નં.૨ના નગર સેવકો સંજય સોની, મૃણાલ જોશી, નીમિશાબેન તરસાડીયા, પ્રીતિબેન ગામીતની લેખિત રજૂઆતને કારણે માલીવાડ ચાર રસ્તા ખાતે, રૂ. ૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પૂરા) જેટલી માતબર રકમનું ખૂબ જ સુંદર અને આકર્ષિત રંગીન ગ્રેનાઈટ પથ્થરમા ગુજરાત ગણેશ ચોક બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત ગણેશ ચોક બનતા મંડળના સભ્યો તથા સ્થાનિક લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમા વોર્ડ નં. ૨ ના નગર સેવકો ઉપરાંત નગરપાલિકાના બાંઘકામ સમિતીના ચેરમેન રીતેશ ઉપાદયાય, લારી-ગલ્લા દબાણ સમિતીના ચેરમેન રાકેશ ચૌધરી, વોર્ડ નં. ૨ ના આગેવાન હેમંત તરસાડીયા, ગુજરાત ગણેશ મંડળના આગેવાન સુનિલભાઈ માળી, વિપુલભાઇ માળી, તેજસ વાનખેડે, ચિંતન માળી, ચંદ્રકાંતભાઈ ખેરે કિર્તી વાનખેડે તથા ગુજરાત ગણેશ મંડળના યુવા મિત્રો તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત પાલિકાના અઘિકારી કર્મચારીગણ તથા વોર્ડ નં. ૨ ના નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

લોકસભામાં અમુક સંખ્યામાં સાંસદો સમલૈંગિક હોવા જોઈએ.જે પાર્ટી સમલૈંગિકોને સપોર્ટ કરશે એ પાર્ટીને અમે સપોર્ટ કરીશું:યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ

ProudOfGujarat

અંકલેશ્વર ના એસ ટી ડેપો નજીક આવેલ મોબાઈલ શોપ માં અજાણ્યા તસ્કરો ત્રાટકી અંદાજીત લાખ્ખો રૂપિયા ના મોબાઈલ ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

ProudOfGujarat

નર્મદાના નિર્મળ નીરને દુષિત કરવાનો મલીન કારસો રચનાર કોણ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!