Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડને સલામી આપી, કર્તવ્ય પથ પર રચાયો ઈતિહાસ

Share

ભારત આજે 74 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ગણતંત્ર દિવસ નિમિત્તે પ્રથમ વખત કર્તવ્ય પથ પર પરેડ થશે. પહેલા આ પથ રાજપથ તરીકે જાણીતી હતી. આ પરેડમાં ‘ન્યૂ ઈન્ડિયા’ની ઝલક જોવા મળશે. આ સાથે સ્વદેશી સૈન્ય શક્તિ અને મહિલા શક્તિનું પ્રદર્શન પણ થશે. રાજ્યોના ટેબ્લોક્સમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળશે. આ સાથે વાયુસેનાના 50 વિમાન પોતાની તાકાત બતાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને કર્તવ્ય પથ પરથી રાષ્ટ્રનુ નેતૃત્વ કરશે. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ છે.

આજે દિલ્હીના કર્તવ્ય પથ પર જુદા જુદા રાજ્યોની ઝાંખી જોવા મળી રહી છે. આ ઝાંખીઓમાં ગુજરાત રાજ્યની ઝાંખી પણ જોવા મળી હતી. આ ઝાંખીમાં ક્લીન ગ્રીન એનર્જી એફિસિયન્ટ ગુજરાતની થીમ હતી. આ ઝાંખીમાં દેશનું પ્રથમ સૌર ઉર્જા પર આધારિત મોઢેરા ગામ દર્શાવવામાં આવ્યુ હતું. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ છે. આ સાથે જ ઇજિપ્તની સશસ્ત્ર દળો કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવીના નેતૃત્વ હેઠળ પ્રથમ વખત કર્તવ્ય પથ પર કૂચ કરતી જોવા મળશે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર, ગણતરી નાં કલાક માં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

ગોધરા: ખાડી ફળીયા વિસ્તારમાં લોકોએ સ્વંય કોવિડ રસીકરણ કરાવ્યુ

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!