Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર મનપાને માર્ચ માસના 31 દિવસમાં 8.20 કરોડની વેરાની આવક

Share

મિલ્કત વેરો વસુલવા છેલ્લા ઘણા દિવસથી ભાવનગર મહાપાલિકાએ માસ જપ્તી ઝુંબેશ હાથ ધરી છે. ઘણા મિલ્કત ધારકોએ વેરો ભર્યો નથી તેથી મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ માર્ચ માસમાં મનપાને વેરાની રૂ. ૮.ર૦ કરોડની આવક થઈ છે. આજે શુક્રવારે વેરો નહી ભરનારની ૩૦ મિલ્કતને મહાપાલિકાએ સીલ માર્યા હતાં. ઘણા કરદાતાઓ હાલ વેરો ભરી રહ્યા છે તેથી મનપાને વેરાની સારી આવક થઈ રહી છે.

ભાવનગર મહાપાલિકા દ્વારા છેલ્લા બે દોઢ માસથીથી મિલ્કત વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે શુક્રવારે ભાવનગરમાં વેરો નહી ભરતા ૩૦ મિલ્કતને મહાપાલિકાએ સીલ માર્યા હતાં. આજે એક દિવસમાં ૩૩૮ મિલ્કત ધારકોએ રૂ. ૪૦.ર૦ લાખનો વેરો ભર્યો હતો, જે પૈકી કેટલાક આસામીએ બાકી વેરો ઓનલાઈન પેમેન્ટ દ્વારા સ્થળ પર જ ભરપાઈ કર્યો હતો. માર્ચ માસના ૩૧ દિવસમાં રૂ. ૮.ર૦ કરોડના વેરાની વસુલાત મનપા દ્વારા કરાઈ છે.

Advertisement

માસ જપ્તી ઝુંબેશના પગલે બાકીદારો ફટાફટ વેરો ભરી રહ્યા છે અને જે બાકીદારો વેરો નથી ભરતા તેની મિલ્કતને મનપા દ્વારા સીલ મારવામાં આવી રહ્યા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે ત્યારે બાકીદારોએ વેરો ભરવો જરૂરી છે. મનપાની કાર્યવાહીના પગલે બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા બે માસમાં મિલ્કત જપ્તી ઝુબેંશના પગલે ઘણા બાકીદારોએ વેરો ભર્યો છે તેથી મનપાને સારી આવક થઈ છે. હવે નવા વર્ષે રીબેટ યોજના શરૂ રહેશે ત્યારે વેરા વસુલાતની કામગીરી ધીમી પડશે તેમ ચર્ચાય રહ્યુ છે.


Share

Related posts

દાહોદમાં પરંપરાગત રીતથી દાલ પાનિયા બનાવતા મેનપુરના દિનેશભાઇ રાઠોડ

ProudOfGujarat

અંકલેશ્વર- આઠ વર્ષના બાળકને ફોરવ્હીલ ગાડી એ ટક્કર મારતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ …

ProudOfGujarat

જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!