Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, 20 જુલાઇએ લેશે શપથ

Share

અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ જાહેર થયા છે. એસ જયશંકર ઉપરાંત આ વખતે અન્ય નવા નામોનો ઉમેરો થયો છે. તેવા બાબુ દેસાઈ અને કેશરીસિંહ ઝાલા આગામી સમયમાં શપથ લેશે.

20 જુલાઈથી શરુ થનાર સત્રમાં ત્રણેય સાંસદોની શપથ વિધી થશે. કોંગ્રેસનું આ વખતે ધારાસભ્યોનું પુરુતું સંખ્યાબળ ન હોવાથી તેમજ અપક્ષના ફોર્મ પરત ખેંચાતા રાજ્ય માટે ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

Advertisement

કોંગ્રેસનું સંખ્યાબળ 17 થાય છે જો કે, ચૂંટણી માટે 45 જેટલા ધારાસભ્યોના મત જરુરી છે ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા ચૂંટણીથી અડગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી એક પણ ફોર્મ ભરાયું નથી. ત્યારે ભાજપે ડમી ઉમેદવારોના ફોર્મ પરત લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપમાંથી રજની પટેલ, રઘુ હુંબલ અને પ્રેરક શાહે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા જેમણે ફોર્મ પરત ખેંચ્યા છે જેથી બિન હરીફ રીતે ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું ચિત્ર આ વખતે પહેલાથી જ સ્પષ્ટ માનવામાં આવતું હતું. 156 સીટ પર જીત મેળવી હોવાથી ભાજપના ફાળે 3 રાજ્યસભાના ઉમેદવારોની સીટો આસાનીથી મળી છે. બિનહરીફ જાહેર થયેલા ત્રણેય ઉમેદવારો હવે 20 જુલાઈએ સાંસદ તરીકે શપથ લેશે.


Share

Related posts

ગુજરાતમાં એક જ દિવસમાં 4 આંદોલનનો અંત, જાણો રાજ્ય સરકારે કેટલી માંગણીઓ સ્વીકારી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે શાહ એન.એન.એમ.સી. હાઈસ્કુલમાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરની બે કંપનીઓનાં સહયોગથી ટ્રાફિક પોલીસને 10 કવોરંટીન સેલ ઇનર વીલ કલબ દ્વારા આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!