Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ગણેશ ટાઉનશિપમાં કોબ્રા સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

Share

આજરોજ નાગ પંચમી હોય આજે નાગ પંચમીના દિવસે બપોરના સુમારે ગણેશ ટાઉનશીપ સી 32 નંબરના બ્લોકમાં સાપ દેખાવાનો કોલ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટને આવતા તાત્કાલિક સ્થળ પર હિરેન શાહ તથા તેમની ટીમ દોડી ગઈ હતી. ગણેશ ટાઉનશિપમાં અહીંના રહેવાસીઓને નાગ પંચમીના દિવસે સાક્ષાત નાગદેવતાના દર્શન થયા હતા. હિરેન શાહ તથા તેમની ટીમે આ વિસ્તારમાંથી કોબ્રા સાપને હાથો હાથ પકડી સહી સલામત રીતે બચાવ કરી તેને સ્વચ્છ વાતાવરણમાં અહીંથી અન્યત્ર જગ્યાએ છોડવામાં આવ્યો હતો.

આ વિસ્તારના રહેવાસીઓ જણાવે છે કે આજે નાગ પંચમી હોય આજના દિવસે અમોને નાગદેવતાએ દર્શન આપતા અમો નાગદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ પરંતુ કોઈ પણ પ્રકારની નાગદેવતાને કે રહેવાસીઓને અગવડતા ન ઉદભવે કે કોઈ જાનહાની ન થાય તે માટે નેચર પ્રોટેકશનને જાણ કરતા તેમના દ્વારા અમોને સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ‘કરૂણા અભિયાન-૨૦૨૨’ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓનું રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સન્માન.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત…

ProudOfGujarat

ભરૂચમાં રેમડીસીવીર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવવા માટે સંદીપ માંગરોલાએ પત્ર લખી રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!