Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મારા પતિ સાથે આડો સંબંધ કેમ રાખે છે કહીં મહિલા પર પત્ની બે સંતાનોનો હુમલો

Share

વાલિયા તાલુકાના દોલતપુર ગામે બનેલી ઘટના

ભરૂચ.
વાલિયા તાલુકામાં આવેલાં દોલતપુર ગામે મોટા ફળિયામાં રહેતી મીના રાજૂ વસાવા તેના પતિ સાથે તેમની ભેંસો ચરાવવા માટે દોલતપુર ગામની સીમમાં નદી કિનારે ગયાં હતાં. તેઓ ભેંસો ચરાવી રહ્યાં હતાં. ત વેળાં ગામમાં જ રહેતી વજલીબેન અનીલ વસાવા તેની પુત્રી ટીના તેમજ પુત્ર રાહુલ સાથે ત્યાં આવી પહોંચી હતી. વજલીએ અચાનક મીનાને અપશબ્દો ઉચ્ચારવાનું શરૂ કરી તું મારા પતિ સાથે આડા સંબંધ કેમ રાખે છે, તારા લીધે મારો પતિ મને માર મારે છે તેમ કહીં તેણે લાકડીનો સપાટો લઇ મીનાને માર માર્યો હતો. અરસામાં વજલીના બન્ને સંતાનો પુત્રી ટીના અને પુત્ર રાહુલે પણ તેને મારી મમ્મી સાથે હવે ઝઘડો કરીશ તો જાનથીમારી નાખીશ તેવી ધમકીઓ આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. ઇજાગ્રસ્ત મીનાને સારવાર માટે વાલિયા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. બનાવને પગલે તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાનાં પગલે ઈંડાનાં વેપારીને થયેલ નુકસાન, જાણો વધુ.

ProudOfGujarat

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે અંકલેશ્વરમાં સેવાભાવી લોકો દ્વારા શ્રાદ્ધનું આયોજન

ProudOfGujarat

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!