Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગુંજશે મા મોઢેશ્વરીનો જયજયકાર: ૩૧મીએ ભવ્ય ૨૬મો પાટોત્સવ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન

Share

ભરૂચ: ભરૂચના લિંક રોડ સ્થિત શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના સાનિધ્યમાં આગામી તા. ૩૧/૦૧/૨૦૨૬, શનિવાર (મહા સુદ તેરસ) ના રોજ ૨૬મો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ મહોત્સવની પૂર્વસંધ્યાએ તા. ૩૦ જાન્યુઆરીના રોજ રાત્રે ૯ થી ૧૧ કલાકે શ્રી મોઢેશ્વરી ભવન ખાતે ‘આનંદનો ગરબો’ યોજાશે, જે ભક્તિમય માહોલની શરૂઆત કરશે.


પાટોત્સવના મુખ્ય દિવસે સવારે ૭:૩૦ કલાકે માતાજીની આરતી અને કેક કટિંગ સાથે ઉજવણીનો પ્રારંભ થશે. બપોરે ૩:૩૦ કલાકે હિતેશનગર મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે, જેમાં શિનોરની પ્રખ્યાત બેન્ડ પાર્ટી આકર્ષણનું કેન્દ્ર બનશે. આ યાત્રા સિવિલ રોડ અને શક્તિનાથ થઈ લિંક રોડ પર આવેલા શ્રી નારાયણ બાપુના આશ્રમે પહોંચશે. સાંજ પડતા જ ધાર્મિક વિધિઓનો દોર શરૂ થશે, જેમાં ૪:૩૦ કલાકે હવન અને ૬:૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે. સાંજે ૭:૦૦ કલાકે દિવ્ય મહાઆરતી બાદ ૭:૩૦ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ભક્તિસભર અવસરમાં સહભાગી થવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરતમાં કેમિકલ ખુલ્લામાં ઠાલવતા ઝેરી અસરથી 6 મજૂરોનાં મોત.

ProudOfGujarat

ભરૂચ : વડવા ગામમાં નીલગાયનો શિકાર કરતાં પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સભા 23 મેના રોજ યોજાશે : જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોમાં 23 અને 25 મે દરમિયાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!