Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રમઝાન માસ દરમિયાન જ ભરૂચના ઘુસવાડમાં પાણી સંકટ : ત્રણ દિવસથી પાણી બંધ, પાલિકાએ ટેન્કરથી પૂરવઠો પુરો પાડ્યો

Share

ભરૂચ

પવિત્ર રમઝાન માસ દરમિયાન શહેરના ઘુસવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉપવાસના સમયમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે નાગરિકોને પરેશાન થવું પડતાં વિસ્તારમાં અસંતોષ ફેલાયો હતો.

Advertisement

સ્થાનિક રહીશો દ્વારા સમસ્યાની રજૂઆત સંબંધિત વોર્ડના કોર્પોરેટરો સમક્ષ કરવામાં આવી હતી. કોર્પોરેટરોએ તાત્કાલિક મામલો ધ્યાનમાં લઈને ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

રજુઆતને પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને પાણી સપ્લાયમાં આવેલી ખામી અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ ઘુસવાડ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરવામાં આવતા સ્થાનિકોને આંશિક રાહત મળી હતી. પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર પાણીની લાઈન સંબંધિત તકનિકી ખામીના કારણે સપ્લાય પ્રભાવિત થયો હતો, જેને દુરસ્ત કરવાની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં નિયમિત પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.

વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું કે રમઝાન દરમિયાન પાણીની સમસ્યા ઊભી થવી દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવતા હાલ તાત્કાલિક રાહત મળી રહી છે. નાગરિકોએ તંત્ર પાસે સ્થાયી ઉકેલ લાવવા માંગ પણ વ્યક્ત કરી છે.


Share

Related posts

નર્મદા સુગર ધારીખેડાને 21 મો નેશનલ એવોર્ડ મળતા અમલેથા ગામે સુગર ચેરમેન સહિત ટીમનું સન્માન કરાયુ.

ProudOfGujarat

ઝઘડીયાના ગુમાનદેવ ખાતે સેવા રૂરલ સંચાલિત કોવિડ સેન્ટરમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચના CHC/ PHC માં તાત્કાલિક અસરથી ચાંદીપુરા વાયરસની લેબ શરૂ કરવા કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રી સમક્ષ માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!