Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગુજરાત આંગનવાળી કર્મચારી સંગઠન ભરૂચ એકમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નો ઉકેલવા તાકીદ કરાઈ અન્યથા ૨૦ મી માર્ચ થી આંદોલન શરૂ કરવા અંગે ચીમકી અપાઈ

Share

 

ગુજરાત આંગન વાળી કરમ્ચારી સંગઠન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ ખાતાના મંત્રીને ભરૂચ જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવી જણાવાયું છે કે આંગણવાડી વર્કરો તથા હેલ્પરોના લાંબા સમયથી પડતર સમસ્યા અંગે તાકીદે બેઠક યોજે સમસ્યા ઉકેલવી જો બેઠક નહિ યોજાય તો ૨૦ મી માર્ચ પછી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આંગનવાડી કર્મચારીઓની માંગણીઓ જોતા આંગનવાડી વર્કર- હેલ્પરોના લઘુત્તમ વેતન સીડયુઅલ્મા સમાવેશ કરવો અને નિવૃત્તિ વાય મર્યાદા અંગે એવી માંગણી કરવામાં આવી છી કે દેશના તમામ રાજ્યોમાં આંગનવાડી વર્કર હેલ્પરની નિવૃત્તિ વાય મર્યાદા ૬૦ કે તેથી વધુ છે. પંચાયત વિભાગમાં ચોથા વર્ગના કર્મચારી અને કારખાનાઓમાં તેમજ રેલ્વે માં નિવૃત્તિ વય ૬૦ ની છે. જેથી આ અંગે તાત્કાલિક નિર્ણય લેવા આવેદનપત્રમાં જણાવાયું છે. હાલ હેલ્પરને રૂપિયા ૩૨૦૦, વર્કરને રૂપિયા ૬૩૦૦ વળતર અપાય છે. જેથી આ બંને વચ્ચે તફાવત મોટો છે તેથી હેલ્પરના પગારમાં વધારો કરેઅવો જોઈએ. તેમજ વર્કામાંઠે સુપરવાઈઝરમાં પ્રમોશન આપવા અંગે પણ નિર્ણય લેવાવો જોએ. આ તમામ બાબતો અંગે જો બેઠક નહિ યોજાય તો ૨૦ મી માર્ચ પછી હડતાલની ચીમકી આપવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ભારત સામેની પહેલી ત્રણ વન-ડે માટે આફ્રિકાની ટીમ જાહેર કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૦૦માં વર્ષમાં પ્રવેશતા વૃદ્ધાના જન્મદિવસની સમાજસેવા સાથે ઉજવણી …

ProudOfGujarat

ઉકાઈ માઇનોર કેનલોનું પાણી સત્વરે ચાલુ કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!