Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ નગરમાં ઇકોફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિનું પ્રદર્શન નગર પાલિકાના હોલ ખાતે યોજાયું.

Share

 

કેટલાય વર્ષોથી પી.ઓ.પી અને રસાયણયુક્ત રંગોનો ઉપયોગ કરીને બનાવેલ શ્રીજીની પ્રતિમાઓ સ્થાપન કર્યા બાદ તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તો તેને ઓગળતા લગભગ ત્રણથી ચાર મહિના લાગે છે અને પ્રદૂષણ વધુ પ્રમાણમાં ફેલાય છે જેથી પર્યાવરણને નુકસાન થાય છે અને. તેથી હાલોલ નગરમાં તમામ શાળાઓમાં બનાવેલ ગણેશજીની માટીની મૂર્તિની સ્પર્ધા તેમજ તેનું પ્રદર્શન/વેચાણ હાલોલ નગરપાલિકાના હોલ ખાતે રાખવામાં આવેલ છે જે આ કાર્યક્રમમાં તમામને ભાગ લેવા તથા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અને આ પ્રદર્શનમાં લગભગ 75 થી 80 મૂર્તિઓ બનાવવામાં આવી છે..

Advertisement

જેમા આયોજક શ્રી જીવ સેવા ટ્રસ્ટ,દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે. તેમા હાલોલ નગરની તમામ શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.તેમા ધોરણ પાંચથી ધોરણ બાર સુધીના તમામ વિધ્યાર્થીઓઓ એ અલગ અલગ પ્રકારની માટીની શ્રીજીની મૂર્તિ બનાવી અને આ સ્પર્ધામાં ત્રણ ગૃપ દ્વારા ઇનામનું પણ આયોજન કરાયુ છે જીવદયા ટ્રસ્ટ દ્વારા અનેક જજ નિમવામાં આવશે ને ગણેશજીના દસ દિવસ સુધી હાલોલ નગરના અલગ અલગ મંડળો માં જઈ નોંધ લેશે તેમજ તવ દરમ્યાન સૌથી વધુ જે મંડળો પર સ્વરછતા દેખાશે તે મંડળને દસ દિવસ પછી ઇનામ આપવામાં આવશે હાલોલ નગરના તમામ 1) નગર પાલિકા હાલોલ 2)બાલાભોલા હનુમાન મંદિર 3)જીવ સેવા ટ્રસ્ટ તરફથી દ્વારા રખાયું છે જે આ સ્પર્ધા કુલ ત્રણ દિવસ રાખવામાં આવી હતી અને આ સ્પર્ધામાં નગરની અનેક શાળાના ઘણા બધા બાળકો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવી પ્રદર્શન કરવામાં આવેલ છે તેમજ જીવસેવા ટ્રસ્ટ આયોજક કે જેમને જણાવ્યું કે પી.ઓ.પી અને કુત્રિમ રંગોથી જે મૂર્તિ બનાવાય છે તે પર્યાવરણને ખૂબજ નુકસાન કરે છે તેથી તેનાથી વિસર્જન પછી તળાવમાં પૂરણ વધુ થાય છે અને એ મૂર્તિઓને ઓગળતા વધુ સમય લાગે છે જેથી આ માટીમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી મૂર્તિ એ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા નથી અને સળતાથી માટી કે તળાવમાં વિસર્જન કરવામા આવે તો ભળી જાય તેમજ પાણીને પ્રદુષિત થતું અટકાવવા માટી કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ‌ઓ રાખવા થી પર્યાવરણ ને નુકસાન ન થાય તે માટે કહે છે અને પર્યાવરણ પ્રદૂષણને ધ્યાને રાખીને ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપના કરે તો વધુ સારું રહે તેમ વિચારી રહ્યા છે.જેથી અને તમામ લોકો ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે તેવું ઇરછી રહ્યા છે જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને નગર સ્વરછ રહે અને લોકોનું સ્વસ્થ રહે..


Share

Related posts

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

ProudOfGujarat

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બે શાળા ઝોન કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકામાં કોરોના વધતાં જતા કેસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!