Proud of Gujarat
FeaturedGujarat

સમગ્ર ભરૂચ પંથકમાં આધ્યાત્મિક વાતાવરણ છવાયું.વિદેશના ભક્તો પણ ઝૂમી ઉઠ્યા ! જાણો ક્યાં?

Share

ઇસ્કોન સંસ્થા દ્વારા ભરૂચ ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રામાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર શહેરના રસ્તાઓ ઉપર દોરડા વડે હાથથી ખેંચી રથયાત્રા યોજાઈ હતી જેમા હરિભક્તોએ વિવિધ ધૂનો સાથે રમઝટ જમાવી હતી.

ભરૂચના જૂના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ કોલેજની સામેથી રથયાત્રા પ્રસ્થાન થઇ હતી જે શીતલ સર્કલ થઈ કસક અને ત્યાંથી ઝાડેશ્વર પહોંચશે. રાત્રિના સમયે રથયાત્રાના ઉપલક્ષમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે.વિદેશથી આવેલા હરિભક્તોએ જણાવ્યું હતું કે હરીભક્તિમાં સર્વસંપતિનો આનંદ અને મનની શાંતિની ભાવના ઉજાગર થાય છે.રથયાત્રા અંગે અગાઉ યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે આતંકવાદનો ઉકેલ આધ્યાત્મિક વિકાસથી થઈ શકે જેમાં સ્વવિકાસ કરતા સમાજ વિકાસને મહત્વ આપવામાં આવે છે.

Advertisement


Share

Related posts

ભરૂચ નગરનાં બિસ્માર થયેલ રોડ-રસ્તા અને ગટરો બાબતે કોંગ્રેસ પાર્ટીનાં દંડક અને નગરપાલિકાનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને અન્ય આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

નડિયાદ : સવા બે લાખની છેતરપિંડી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!