Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૯ માં થયેલ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લાના ખેડુતોના પાકને થયેલા નુકશાન અંગે ધરતીપુત્રોને અનુરોધ.

Share

રાજપીપલા,નર્મદા જિલ્લામાં તા. ૧૫/૧૦/૨૦૧૯ થી ૨૦/૧૧/૨૦૧૯ સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડુતોના પાકને નુકશાન થયું હતું તે અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડુતો દ્વારા નિયત નમુનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/ તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશેં. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડુતને તા. ૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ અરજી સાથે ખેડુતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો, ૭/૧૨, ૮ અ, બેંક એકાઉન્ટ નંબર માટે બેંક પાસ બુકના પ્રથમ પાનાની IFSC Code સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું “ના વાધા” અંગેનું સંમતિપત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડુતનું કબુલાત નામું જોડવાનું રહેશે. વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી) પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવાનો રહેશે.

રાજપીપલા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશન કતોપોર બજારનાં પ્રમુખ ઈમ્તિયાઝ પટેલ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

પુષ્પા 2 ની લાગણીઓ પછી, મધુવંતી બાગચી રશ્મિકા મંદાના સાથે થમ્માના હૃદયસ્પર્શી ગીત “તુમ મેરે ના હુએ” સાથે પરત ફરી રહી છે.

ProudOfGujarat

લવ જેહાદનાં વિરોધમાં આજે ભરૂચમાં પત્રકાર પરિષદ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!