Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની એસ પી સી લાઈફ સાયન્સ કંપનીમાં રીએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થતાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એસ પી સી લાઈફ સાયન્સ કંપનીમાં રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન રીએક્ટરમાં અચાનક ધડાકો થતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.રીએક્ટર પાસે કામ કરી રહેલા સારંગપુરની મંગલ દીપ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય મંગલ ઝારુ મંડલને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક કામદાર સચવિન્દ્રરને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.કંપની સંચાલકોએ આ અંગેની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા. જોકે આગની ઘટના બનવા પામી ન હતી.આ ઘટનાનાં પગલે જીઆઇડીસી પોલીસનો કાફલો દોડી આવી મંગલ મંડલના મૃતદેહને પોષ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં થયેલ પ્રચંડ ધડાકાના પગલે આસપાસની કંપનીઓનાં કામદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, ગમ્મે ત્યારે થઇ શકે છે જાહેરાત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પોલીસ મથકોમાં વિવિધ ગુનામાં જપ્ત થયેલા વાહનો ભંગાર થઈ રહ્યા છે અને તેના પર ધૂળ જામેલ જોવા મળે છે.

ProudOfGujarat

દેશભરમાં બની રહેલા દુષ્કર્મની ધટનાઓનાં ધેરા પ્રત્યાધાત પડીયા છે દેશનાં લોકોમાં નરાધમો પ્રત્યે રોષ ભારે આક્રોશ છે જેમાં દેશભરમાં નરાધમોને કડક સજાની માંગણી કરવામાં આવી છે જેમાં ભરૂચનાં જાગૃત નાગરિકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ કર્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!