Proud of Gujarat
FeaturedGujaratINDIA

આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની ઘટ પુરવા ઝઘડીયાનાં ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરો અને નર્સોની કેટલીક ખાલી પડેલી જગ્યાઓ માટે સ્ટાફની નિમણૂક કરવા રજૂઆત કરી છે.ભરૂચ જિલ્લામાં હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનાં દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે સક્ષમ આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહે તે જરૂરી છે.ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને આ બાબતે યોગ્ય કરવા રજુઆત કરી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના મહામારી અંગેના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે ખાનગીકરણના ભાગરૂપે ભરૂચની સિવિલ હોસ્પિટલનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાને ફાળવેલ છે. તાજેતરમાં કોરોના સંક્રમણને કારણે ભરૂચ સિવિલને સીલ કરવામાં આવી હતી. પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરતો સ્ટાફ નથી. શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ વિના જ સમય પસાર કરવામાં આવે છે જે અતિ ગંભીર બાબત છે. માછીમારી ધંધા સાથે સંકળાયેલાના સંપર્કમાં આવનાર સાગરખેડુઓ પણ અસરગ્રસ્ત બની રહ્યા છે. આરોગ્યક્ષેત્રે ખાનગીકરણની નીતિ નિષ્ફળ પુરવાર થઇ છે. આ બાબતે પુન: વિચારણા કરી સરકારી રાહે લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે બાબતે ઘટતુ કરવા રજૂઆત કરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

હરસિદ્ધિ માતાના મંદિર પાસે પરંપરાગત ભરાતા નવરાત્રી મેળાના સ્ટોલ પર પણ આકસ્મિક પ્લાસ્ટીક ચેકીંગ હાથ ધરાયુ

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં સતકૈવલ સંપ્રદાયનાં ભગવાન કરુણાસાગરનાં પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ડાકોરમાં રણછોડરાય મંદિરના દરવાજા નજીક બે આખલા બાખડતા લોકોમાં અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!