Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કસક ગળનાળુ એક મહિના માટે બંધ કરવાનાં તંત્રનાં નિર્ણય સામે રીક્ષા ચાલકોએ કરી આ માંગ….જાણો વધુ.

Share

ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીને લઇ કસક ગળનાળુ આગામી તારીખ 21/12/2020 થી 19/01/2021 સુધી તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય સામે હવે રીક્ષા ચાલકોએ પણ તંત્ર સામે રજુઆત કરી છે કે આ કસક ગળનાળુ એક મહિના સુધી બંધ રહેશે તો રીક્ષા ચાલકોને 3 કી.મી લાંબો ફેરો ફરીને આવવું જવું પડશે, સાથે જ પેસેન્જરો વધુ ભાડું નહી આપે તો તેઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે. જેથી આ કામગીરી વધુમાં વધુ જલ્દી પૂર્ણ થાય તેવી માંગ ઉચ્ચારવામા આવી છે.

રીક્ષા ચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદથી સર્જાયેલ પરિસ્થિતિમાં રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે, તેમાં પણ જો ભરૂચ અને ઝાડેશ્વરનાં માર્ગનો વધુમાં વધુ રીક્ષા ચાલક રોજીરોટી માટે ઉપયોગ કરતા હોય છે, તેવામાં આટલો લાંબો ફેરો ફરીને પણ તેઓને યોગ્ય વળતર પેસેન્જર તરફથી ન મળે તો તેઓની આર્થિક રોજિંદી આવક ઉપર અસર પહોંચે તેમ છે..!!

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં તંત્ર નિષ્ફળ ગયાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી અને સિવિલ હોસ્પિટલ બહાર ધરણાં યોજયા.

ProudOfGujarat

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું

ProudOfGujarat

રાજકોટના ખોડિયાર નગરમાં ટીપી રોડને લઈને 80 મકાન પર બુલડોઝર ફર્યું : 12.80 કરોડની જમીન ખુલ્લી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!