Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ પરિવાર તરફથી દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ ગોવટ ગામના મંદિર આપવામાં આવી…

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી દિલ્હી ખાતે અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અમે આજે ગોવટ મંદિર
ખાતે આપી ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને એમના નિર્ણયને કારણે ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપ સરકાર ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરીને ભારતના અનદાતાને મરણતોલ ફટકો માર્યો છે આ બાબતે ધ્યાન લઈને દેશભરમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

સમગ્ર દેશના ખેડૂતો ૨૪ દિવસથી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના આ અહિંસક આંદોલનમાં 22 ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે તેમને અમે આજે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છે અને નમન કરીએ છીએ ભાજપ સરકારે પસાર કરેલ ત્રણ કાળા કાયદા વિરુદ્ધ ખેડૂતના આંદોલનની અમે સમર્થન આપીએ છીએ અને એમને સંપૂર્ણ સહકાર ઉમરપાડા ખેડૂતો તરફથી ટેકો જાહેર કરીએ છીએ. આવનાર દિવસોમાં આ માટે આંદોલન કરવું પડે તો ખેડૂતોના હિતમાં અમે આંદોલન કરવા પણ તૈયાર રહીશું,આ કાર્યક્રમમાં ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, મહામંત્રી હિતેશ પટેલ ,મહા મંત્રી શંકરભાઈ ,શ્રી નટુભાઈ ચારણી અશોકભાઈ, ભુપેન્દ્રભાઇ ઉમરપાડા.જેવા અનેક કાર્યકરોએ હાજર રહીને ખેડૂતોને ગોવટ ગામનાં મંદિરમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

Advertisement

Share

Related posts

આજથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગામી તા.27 એ ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી નજીક ભુંડવા નાળા પરથી પાણી વહેતા સરદાર પ્રતિમા માર્ગ બંધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!