Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા સહાય, રોજગારી, ખેડૂતોનાં પ્રશ્નોને વાચા આપી જન જાગૃતિનાં કરશે પ્રયત્નો…

Share

ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિનાં પ્રમુખ ખુમાનસિંહ વાસિયા દ્વારા એક નિવેદનમાં જણાવ્યુ છે કે ભરૂચ તેમજ ગુજરાતમાં વિધવા સહાયની બાકી રહેતી બહેનોને તેનો લાભ આપવો જોઈએ તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવાની વાત જણાવી છે.

આ નિવેદનમાં વધુમાં જણાવ્યુ છે કે ભરૂચ અને નર્મદા જીલ્લામાં વિધવા સહાય માટે હંમેશા જીલ્લા હિતરક્ષક સમિતિ પ્રયત્નશીલ રહેશે. આ વર્ષે અંદાજીત ભરૂચ જીલ્લામાં 30,000 વિધવા બહેનોને સહાય આપી છે અને ગુજરાતમાં 8 લાખ બહેનોને વિધવા સહાયનો લાભ મળ્યો છે. તેમજ ભરૂચ જિલ્લાની 1 લાખ બહેનોનાં વિધવા સહાયનાં ફોર્મ ભરવાની પ્રોસેસ બાકી હોય તેને વહેલી તકે પૂર્ણ કરવાનો સંકલ્પ છે. વિધવા સહાયનાં નિયમમાં ફેરફારો કરવાની પણ આવશ્યકતા હોય જેમાં કુટુંબની આવક મર્યાદાને દૂર કરવી જોઈએ જેથી તમામ બહેનો વિધવા સહાયનો લાભ પ્રાપ્ત કરી શકે છે.

તેમજ ભરૂચ નર્મદા જીલ્લામાં હિતરક્ષક સમિતિ આગામી સમયમાં યુવાનોની રોજગારી અને ખેડૂતોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે પ્રયત્નો કરશે. ઉપરાંત સ્થાનિક યુવકોનાં નોકરીનાં પ્રશ્નો, ખેડૂતોનાં સિંચાઇનાં પ્રશ્નો અને કરજણ જળાશય યોજનાનું સરકાર દ્વારા રદ કરવામાં આવેલું મહેકમને ફરી મંજૂર કરવામાં આવે તેવી વિવિધ આ નિવેદનમાં માંગણી છે.

Advertisement

Share

Related posts

વૃક્ષોનું નિકંદન કાઢ્યા કરતા પ્રેમથી વૃક્ષારોપણ કર્યું હોત તો આટલી બધી ગરમી ન પડતી હોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે જ્યારે તાલુકા કક્ષાએ તા.૨૨/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વરની મીરાં નગરની ઝાડીઓમાંથી પ્રવિણ સરવૈયાની સળગાવેલ લાશનો ભેદ નવ મહિના પછે ઉકેલતી એલ.સી.બી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!