Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપા કાર્યકરો પાછા ભાજપામાં જોડાયા.

Share

ગત ટર્મની ઝઘડીયા તાલુકા પંચાયતની બેઠકના ભાજપાના માજી મહિલા સદસ્ય સહિતના અન્ય આગેવાનો તેમજ કાર્યકરો ભાજપાને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સુલતાનપુરા જિલ્લા પંચાયત તથા ગોવાલી તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડવાનું જાહેર કરાયુ હતું. આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ગોવાલી ગામના કાર્યકરો ઉમેદવારીપત્ર ભરવા આવ્યા હતા. અચાનક ભાજપામાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા કાર્યકરોનું હૃદય પરિવર્તન થતા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવાનું ના પાડી દીધુ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ અંગે ઝઘડીયા તાલુકા ભાજપા પ્રમુખ ધરમેન્દ્રસિંહ માટીએડાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાની સમજાવટથી આ કાર્યકરોએ ફરીથી ભાજપાનો ખેસ ધારણ કરી લીધો હતો. મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તાત્કાલિક ગોવાલી ખાતે પહોંચીને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં પાર્ટી છોડીને ગયેલા તમામને ફરીથી ભગવો ખેસ પહેરાવ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : નવી વસાહતના ગરીબ પરિવારના ધ્રુમિલ સોલંકી ક્રિકેટ ક્ષેત્રે કરી રહ્યા છે પ્રગતિ…

ProudOfGujarat

ભરૂચના સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ખાતે વૃક્ષારોપણ કરાયું*

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!