Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા બદલી થયેલા પ્રાથમિક શિક્ષકોને છુટા કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવેલ છે કે 23/5/2012 ના બદલીના નિયમો મુજબ બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા 10% નિયમ છે પરંતુ 10% ની જગ્યાએ બદલી થયેલા શિક્ષકોને 50% છુટા કરવા નિર્યણ કરવા અમારી રજૂઆત છે. વધુમાં જ્યાં ધોરણ 1થી 5 મા બે શિક્ષકોનું મહેકમ છે તે શાળામા બદલી થઇ હોઈ તો રાઈટ ટુ એડયુકેશન મુજબ છુટા કરી સકાતા નથી તો એ જગ્યા ઉપર સુપર ન્યુમરી વારા જે વધ વાલા શિક્ષક છે એમને 1થી 5 મા મૂકીને બે શિક્ષકના મહેકમવળી શાળાના શિક્ષકોને છુટા કરવા વિનંતી કરવામાં આવી છે એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ
કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ જણાવેલ છે.

Advertisement

Share

Related posts

જીઆઇડીસી અંકલેશ્વર રીજીનલ ઓફિસની વસાહતોમાં કોમર્શિયલ પ્લોટોના ઓક્શનમાં ભ્રષ્ટાચારની તપાસ અંગે સંદીપ માંગરોલાની રજૂઆત.

ProudOfGujarat

પંચમહાલ-લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની જિલ્લામાં ગત મોડી રાત્રિથી ધમાકેદાર એન્ટ્રી…..

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગામે ઉપસરપંચની ચુંટણી મોકુફ રાખવા ચુંટાયેલા ૩ સભ્યોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!