Proud of Gujarat
INDIAFeaturedGujarat

અખાત્રીજ જેવા મંગલ દિવસને કોરોનાનું ગ્રહણ !

Share

ભારત વિવિધતાનો દેશ છે જ્યાં અનેક જાતની લોકસંસ્કૃતિ જોવા મળે છે જે દેશને વધારે ખુબસુરત બનાવે છે મોટા તહેવારોના સિવાય પણ અમુક વિશેષ દિવસો હોય છે જે પોતાના ધાર્મિક સાંસ્કૃતિક માન્યતાઓના મુજબ ભાગ્યશાળી ગણવામાં આવે છે. હિન્દૂ ધર્મનો આવો જ એક તહેવાર છે અખાત્રીજ. આ દિવસને સતયુગની શરૂઆત માનવામાં આવે છે.

પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે શુભ કાર્યોને કોરોનાનું ગ્રહણ બાધારૂપ થશે. કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત લગ્ન, ગૃહ પ્રવેશ તેમજ અન્ય શુભ કાર્યો સામૂહિક રીતે કરવામાં આવશે નહીં. અખાત્રીજના પર્વે દર વર્ષે લગ્નઓની ખુબ ધૂમ મચતી હોય છે પરંતુ આ વર્ષે પહેલીવાર અખાત્રીજ લોકોના લગ્ન વગર સુની રહેશે તેમજ અખાત્રીજના દિવસે શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે જેથી લખમીરાણી સ્થિર રહે અખાત્રીજના દિવસ જે સોનુ-ચાંદી લેવું એ ગુજરાતી લોકો માટે ગણું શુભ ગણાય છે પરંતુ દુકાનો બંધ હોવાને કારણે સોના, ચાંદી અને હીરાની ખરીદી થઈ શકશે નહીં સાથે વેચનારને પણ ઘણી ખોટ ભોગવવાનો વારો આવી રહ્યો છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની કોન્ફરન્સ યોજાઇ

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં ભરતી પ્રક્રિયા દરમિયાન યુવાનનું મોત, દોડ બાદ તબિયત બગડતા દુઃખદ ઘટના

ProudOfGujarat

‘ઘેર-ઘેર સંસ્કરણ’ ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!