Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર “જન આશીર્વાદ યાત્રા” થકી પુર્ણેશ મોદીનું સ્વાગત કરાયું.

Share

ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી જન આશીર્વાદ યાત્રા સમગ્ર વિસ્તારમાં ફરી રહી છે. અનેક નાગરિકો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અનેક સંસ્થાઓએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. જેનું ભાજપાના તમામ કાર્યકર્તાઓ અને મોરચે પણ સ્વાગત કર્યું હતું. અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે મંત્રી પુર્ણેશભાઈ મોદીજી આવવાના હોય સૌ ચુંટાયેલા સભ્યઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા સ્વાગત કરવામાં આવ્યું હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રાના માધ્યમથી જનતાને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે લોકોના આકાંક્ષા અને અપેક્ષાલક્ષી કાર્યો હોય જેને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની ભુપેન્દ્ર પટેલની સરકાર કટિબદ્ધ છે જે માટે ખાડા પુરાણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પુર્ણેશ મોદી એપની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જનતા કોઈ પણ ખૂણે બેસી અને એપ પર પોતાની સમસ્યા રજુ કરી શકે છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર માં બે અલગ-અલગ વિસ્તારોમાં દિન દહાડે બે મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરી ચોર ફરાર

ProudOfGujarat

ભરૂચમાં ગેરકાયદેસર ભેંસોનાં પરિવહનને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ ગામની માસ્તર પેનલના સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!