Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્યએ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાયા બાદ ગતરોજ રાતે ભરૂચના પગુથન ગામ પાસેથી વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના ડાયરા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે 5 દિવસ પહેલા નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10 ની વિધાર્થીનીએ શનિવારે રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ અંકલેશ્વર રહેતા 49 વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ગુરૂવારે રાતે ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. જેમાં આચાર્યે પોતાના ઉપર નોંધાયેલી પોસ્કોની ફરિયાદમાં સજા અને બદનામીના ડરથી જીવન ટૂંકાવ્યું હોવા પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે મૃતદેહ નજીકથી મળેલ ડાયરીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી છે જેના આધારે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જે અંગે અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈએ તપાસ હાથ ધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

૧૨ લોકસભા ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્ર માંથી સાંપડી રહ્યો છે પ્રચંડ જનસમર્થન*

ProudOfGujarat

અંકલેશ્વરની ડેનો ફાર્મા કેમિકલ કંપનીમાં બોગસ ઓળખ આપી કંપની ઉપર રૂઆબ છાંટતા બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ધાનપુર ગામના પ્રજ્ઞાચક્ષુ જય પટેલ દ્વારા અંધજનો માટે જય ફાઉન્ડેશનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!