Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીનુ નિપજેલ મોત

Share

 

( હારૂણ પટેલ ભરૂચ )

Advertisement

ભરૂચના ભોલાવ એસ.ટી વર્કશોપના ટાયર પ્લાન્ટ નજીક કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ મોત નિપજ્યુ હતુ.મળતી માહિતી મુજબ ભરૂચના એસ.ટી વર્ક શોપ ખાતે આવેલ ટાયર પ્લાન્ટમા વડોદરાના પાણી ગેટ બસ ડેપો ફરજ બજાવતા સંજય કુમાર ધિરજલાલ પંડયા ઉ.વ આશરે ૫૦ કોઈ કામ અર્થે ભોલાવ વર્કશોપ ખાતે આવ્યા હતા. તે સમય દરમ્યાન નજીકમા શોચક્રીયા માટે નજીકમા ગયા હતા. એ દરમ્યાન અચનાક સંજય ભાઈએ બુમ પાડતા નજીકમા ઉભેલા વ્યક્તિઓ સંજય ભાઈ પાસે પહોંચી ગયા. ૧૦૮ ઈમરજંસી સેવા ધ્વારા તેમણે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યા તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તારણ મુજબ તેમણે હાથના ભાગે કે પગના ભાગે કરંટ લાગતા તેમણુ મોત નિપજ્યુ હોવાનુ અનુમાન કરાઈ રહ્યુ છે. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.


Share

Related posts

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસે કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

ProudOfGujarat

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

ProudOfGujarat

એક મંચ, બે મિસ વર્લ્ડ વિજેતાઓ, એક યાદગાર સાંજ: વૈશ્વિક આઇકોન પ્રિયંકા ચોપરા અને માનુષી છિલ્લર વચ્ચે એક ગરમાગરમ મુલાકાત!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!