Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીનુ નિપજેલ મોત

Share

 

( હારૂણ પટેલ ભરૂચ )

Advertisement

ભરૂચના ભોલાવ એસ.ટી વર્કશોપના ટાયર પ્લાન્ટ નજીક કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ મોત નિપજ્યુ હતુ.મળતી માહિતી મુજબ ભરૂચના એસ.ટી વર્ક શોપ ખાતે આવેલ ટાયર પ્લાન્ટમા વડોદરાના પાણી ગેટ બસ ડેપો ફરજ બજાવતા સંજય કુમાર ધિરજલાલ પંડયા ઉ.વ આશરે ૫૦ કોઈ કામ અર્થે ભોલાવ વર્કશોપ ખાતે આવ્યા હતા. તે સમય દરમ્યાન નજીકમા શોચક્રીયા માટે નજીકમા ગયા હતા. એ દરમ્યાન અચનાક સંજય ભાઈએ બુમ પાડતા નજીકમા ઉભેલા વ્યક્તિઓ સંજય ભાઈ પાસે પહોંચી ગયા. ૧૦૮ ઈમરજંસી સેવા ધ્વારા તેમણે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યા તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તારણ મુજબ તેમણે હાથના ભાગે કે પગના ભાગે કરંટ લાગતા તેમણુ મોત નિપજ્યુ હોવાનુ અનુમાન કરાઈ રહ્યુ છે. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

વડોદરામાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ કલેકટર કચેરી અને અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્ડ ધ ક્લોક કાર્યરત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!