સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા, સાઇબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ શ્રીનાથજી સોસાયટી ઝાડેશ્વર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઇ વૈશાલીબેન આહિર નું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ વિષયને લગતા ગુનાઓને અટકાવવા માટે કયા સાવચેતીના પગલાં લેવા તે વિશે વિવિધ જ્ઞાનસભર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ અને ભરૂચ પોલીસ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો તથા સંસ્કૃતિના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ અંજલીબેન ડોગરા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોડીનેટર બિનિતાબેન પ્રજાપતિ, શ્રીનાથજી સોસાયટીના પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તથા મોટી સંખ્યામાં યોગ સાધકો તથા સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા.
Advertisement
