Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજમાં આવેલી જમાદાર ફર્નિચરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં આવેલી જમાદાર ફર્નિચર નામની દુકાનમાં સવારે આગ લાગતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે રહેતા જાવેદ જમાદાર જેઓની રેલવે સ્ટેશન સામે ફર્નિચરની દુકાન આવેલી છે. જે દુકાનમાં સવારના સમયે શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. લાગેલી ભીષણ આગમાં દુકાનમાં રહેલા સોફા સેટ તથા અન્ય વીજ વસ્તુઓ સંપૂર્ણ સળગી જવા પામી હતી. લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ જતા નજરે પડયા હતા. સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવી તેમજ ટેન્કરની મદદ વડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. દુકાન માલિક જાવેદ જમાદારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ મારી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે લાગેલી ભીષણ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, ઘટનામાં કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ તાલુકામાં કેનાલમાં ગાબડું પડી જતાં ખેડૂતોને હાલાકી

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા.48 પર દર્શન હોટલ પાસે ટ્રકએ પલટી મારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!