ભરૂચના રેલવે ગોદી રોડ પર ખોડિયાર મંદિર પાસેની ઘટના
ભરૂચ.
Advertisement
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલાં નવી વસાહત ખાતેરહેતાં રાજેશ લક્ષ્મણ વાળા સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે પાટાવાળાની નોકરી કરે છે. તેઓ સાંજના સમયે તેમની એક્ટિવા લઇને અંગત કામ માટે તેમના ઘરની પાસે આવેલાં સ્ટેશન ગોદી રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં ખોડિયાર માતાના મંદીર પાસેથી પસાર થતાં સમયે એક કારના ચાલકે પુરઝડપે પોતાની કાર હંકારી લાવી સિંધીનગરના ગેટ પાસે અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
