અંકલેશ્વર ઓઅએનજીસી એસેટ દ્વારા કોલોની ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન સાથે દબદબાભરે ઉજવણી કરવામાં આવી હતી.ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન સુખાનંદનના વરદ હસ્તે ધ્વજવંદન કરવાંમાં આવ્યું હતું આ અવસરે ઓએનજીસીમાં ફરજ બજાવતા સીઆઈએસએફ ,ઓએનજીસી ફાયર બ્રિગેડ,તેમજ સિક્યુરીટી ગાર્ડ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓએ પરેડ યોજી હતી.
એસેટ મેનેજર .જે.એન સુખાનંદનના હસ્તે જવાનો ને પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા ,ત્યાર બાદ ઓએનજીસી ની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યકમ રજુ કર્યા હતા.
Advertisement
