ભરૂચ.
શ્રી ભરૂચ સમસ્ત જાદવ (ભોઈ) સમાજ દ્વારા આયોજિત ભરૂચનું ગૌરવ એવા મેઘ અને છડી ઉત્સવમાં આજ રોજ છડી નોમના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

આ પ્રસંગે તેઓ સાથે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, આગેવાન હેમેન્દ્ર કોઠીવાલા, યુવા કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ, રવિ રાણા તેમજ અનેક કાર્યકરો જોડાયા હતા.
શ્રી માંગરોલાએ સૌપ્રથમ ઘોઘારાવ મહારાજ, મેઘરાજા તથા છડીના દર્શન કર્યા બાદ વાલ્મિકી સમાજ અને ખારવા સમાજ દ્વારા આયોજિત મેઘ–છડી ઉત્સવમાં ભાગ લીધો હતો.
મેઘ-છડી ઉત્સવનો ઈતિહાસ ખૂબ પુરાણો છે ભરૂચ જિલ્લાની આ પ્રાચીન પરંપરા મુજબ શ્રાવણ મહિનામાં મેઘરાજા અને છડીની પૂજા અર્ચના કરવામાં આવે છે. વરસાદની શુભ શરૂઆત, ખેડૂતોને સુખાકારી, સમાજમાં એકતા અને સમૃદ્ધિ માટે આ ઉત્સવ ઉજવાય છે.
