Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર નજીક NH 48 પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ બિસ્માર માર્ગ અને સાંકડો આમલાખાડી બ્રિજ મુખ્ય કારણ મુસાફરો પરેશાન

Share

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48 પર આજે ફરી એકવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચથી સુરત તરફની લેનમાં આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જામ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા પાછળના મુખ્ય કારણોમાં હાઇવેનો બિસ્માર માર્ગ અને આમલાખાડી પર આવેલો સાંકડો બ્રિજ છે. ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક-ટેન્કરો અને ભારે વાહનવ્યવહારને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે અંકલેશ્વર–દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામ કરતા કર્મચારીઓનો કિંમતી સમય વેડફાય છે. સુરત તરફ આવતા-જતા વાહનચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ માંગ કરી છે કે હાઇવેના રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે. સાથે જ આમલાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે જેથી મુસાફરોને રાહત મળી શકે.

Advertisement

Share

Related posts

કોઠી ગામના સરપંચે પુત્ર-ભાઈને ફિલ્ટર પ્લાન્ટના કામમાં આર્થિક લાભ કરાવ્યો : સસ્પેન્ડ

ProudOfGujarat

નડીઆદના શ્રી ગોકુલનાથજી મંદિરમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુના ૧૫૧ મા પાટોત્સવ નિમિત્તે ૫૧ હજાર આમ્રકુંજ (કેરી) નો મનોરથ યોજાયો.

ProudOfGujarat

કોંઢ ગામના ચાર કામદારોને અચાનક નોકરીમાંથી હટાવાતા તણાવ, 17 ફેબ્રુઆરીએ ગેટ સામે આંદોલનની ચેતવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!