Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ભાલોદ વચ્ચે બસ સેવાના અભાવે જનતાને હાલાકી.

Share

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામને બસ સેવાથી હાલ વંચિત રખાયુ હોવાથી ભાલોદ પંથકના ગામોની જનતાને બસસેવાના અભાવે હાલાકિ ભોગવવી પડે છે. થોડા વર્ષો પહેલા ઝઘડીયાથી ભાલોદ વચ્ચે બસો ચાલતી હતી. પરંતુ ત્યારબાદ ભાલોદના રુટ પરની બસસેવા બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાલોદ પંથકના ગામોના ઘણા વિદ્યાર્થીઓ રાજપારડી અભ્યાસ કરવા આવતા હોય છે. બસના અભાવે વિદ્યાર્થીઓએ પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. લાંબા સમયથી બંધ કરાયેલી ભાલોદ પંથકની બસસેવા તાકીદે શરુ કરવામાં આવે તેવી લોક માંગણી પ્રવર્તી રહી છે. જ્યારે ભાલોદના રુટ પર બસો ચાલતી હતી, તે સમયે ભાલોદથી ભરુચ તેમજ અમદાવાદ તરફ જવા માટે પણ બસો દોડાવાતી હતી. લાંબા સમયથી બસસેવા બંધ કરી દેવામાં આવતા જનતા અને વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં નાછુટકે મુસાફરી કરવી પડે છે. ત્યારે ભાલોદ પંથકની જનતા અને વિદ્યાર્થીઓના હિતમાં ઝઘડીયા ડેપો સત્તાવાળાઓ તાકીદે આ રુટ પર બસસેવા શરુ કરવા ઘટતા પગલા ભરે એ જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળનાં મોટી ફળી ગામની શાળાનાં વય નિવૃત્ત આચાર્યનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

કર્મચારીઓ બિલ્ડીંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે એકા-એક આ પાંચ માળની ઈમારતનો એક ભાગ ધરાસાઈ થયો હતો આ ઘટનાને પગેલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે નવા કોવીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે ધરણાં કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!