Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે બિસ્માર માર્ગથી પરેશાન સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાયો, તંત્ર સામે પ્રજાનો જન આક્રોશ જોવા મળ્યો

Share

ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની છે, ખાસ કરી ઝઘડિયા તાલુકાના માર્ગો પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પડેલા ખાડાના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય જોવા મળતો હોય છે તો સાથે સાથે વાહનોને પણ નુકશાની થતી હોય છે અને ઈંધણનું પણ વેડફાટ જોવા મળે છે.

તંત્રમાં અનેકવાર સ્થાનિકોએ રજુઆત કરી છે, છતાં નિદ્રાધીન તંત્રની આંખ ન ખુલતી હોય લોકોનો આક્રોશ ચરમસીમા એ પહોંચ્યો હતો, આજરોજ સવારના સમયે રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ ઉપર સ્થાનિકોએ બેસી જઈ ચક્કાજામ કર્યો હતો.

સ્થાનિકોના આક્રોશ અને ચક્કાજામના પગલે અનેક વાહનોના પૈડાં ઠંભી ગયા હતા તો બીજી તરફ ઘટના અંગેની જાન રાજપારડી પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો, તેમજ ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવટ બાદ માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Advertisement

સ્થાનિકોનું જણાવવું છે કે જો વહેલી તકે તંત્ર દ્વારા આ રસ્તાઓનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં નહીં આવે તો તેઓએ દ્વારા આગામી દિવસોમાં હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.


Share

Related posts

સંવેદના દિવસ : ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ હૉલ ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાનીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના માંચ ગામ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!