Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરના અમરાવતી પુલ પર ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત..

Share

અંકલેશ્વરના અમરાવતી પુલ પર રોંગ સાઈડ આવી રહેલા થ્રિ વ્હીલ ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ચક્કાજામ થયો હતો.

અંકલેશ્વર ના નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ અમરાવતી પુલ પરથી નાઇટ્રેટ એસિડ ભરી રોંગ સાઈડ તરફ થ્રી વ્હીલ ટેમ્પો દોડી રહ્યો હતો. જે સામેથી અંકલેશ્વર તરફ આવી રહેલી એસટી બસ સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો.એસટી બસનાં ચાલકે સમયસૂચકતા વાપરી બ્રેક મારતા ટેમ્પો રોડની સાઈડની રેલિંગ પર અટકી ગયો હતો. પરંતુ ટેમ્પામાં ભરેલ નાઇટ્રેટ એસિડ ખાડીમાં ઢોળાયુ હતુ.

Advertisement

અકસ્માતનાં પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાતા તેની અસર રાજપીપળા ચોકડી તેમજ વાલિયા ચોકડી પર પડતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેને મહામહેનતે પોલીસે પૂર્વવત કરયો હતો.


Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી..!!

ProudOfGujarat

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, 4 નું રેસ્ક્યૂ, 1 નું મોત

ProudOfGujarat

“વૈશ્વિક પરિપેક્ષમાં ગાંધીજી અને અન્ય શોધ” હિન્દી પુસ્તકનું વિમોચન વિષ્ણુ પંડ્યાનાં હસ્તે કરવામાં આવ્યું.

ProudOfGujarat
error: Content is protected !!