Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર ની ગાર્ડનસીટી સોસાયટી ના રહીશ ના ધાબા પરથી તમંચો તેમજ બે કારતુસ મળી આવવા ના પ્રકરણ માં ચકવાનારો ખુલાસો થયો છે..હથિયાર ની બાતમી આપનાર શખ્સે જ તમંચો અને કારતુસ મુક્યા હોવાનું એસ ઓ જી ની તપાસ માં બહાર આવ્યું હતું……….

Share

અંકલેશ્વર ની ગાર્ડનસીટી સોસાયટી ના રહીશ ના ધાબા પરથી તમંચો તેમજ બે કારતુસ મળી આવવા ના પ્રકરણ માં ચકવાનારો ખુલાસો થયો છે..હથિયાર ની બાતમી આપનાર શખ્સે જ તમંચો અને કારતુસ મુક્યા હોવાનું એસ ઓ જી ની તપાસ માં બહાર આવ્યું હતું……….

બનાવ અંગે ની મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૫ મી મેં ના રોજ એસ ઓ જી ની ટિમ ને બાતમી મળી હતી કે વિકાસ રાજેસ વસાવા ના મકાન ના ધાબા ઉપર આવેલા પાણી નિકાલ માટે ના કાળા માં એક તમંચો તેમજ બે કારતુસ પ્લાસ્ટીક ની થેલી માં રાખી સંતાડેલા છે…જેના પગલે ભરૂચ એસ ઓ જી ની ટીમે વિકાસ ના ઘરે દરોડો પાડી હથિયાર કબ્જે લીધા હતા ….ઘટના ની વધુ તપાસ હાથ ધરતા ઝડપાયેલ હથિયાર મામલે વિકાસ ની પૂછપરછ દરમિયાન પોલીસ સામે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા..જેમાં વિકાસ સામે કાવતરું રચાયા હોવાનું પાર્થમિક તબક્કે જણાતા બાતમી આપનાર રાકેશ સુરેન્દ્રસિંહ ચૌહાણ ની ઉલટ તપાસ કરતા તેણે જાતેજ અગાઉ ના ઝઘડા ની રીસ રાખી તેને ફસાવવા હથિયાર મુક્યા હોવાની કબુલાત કરતા મામલા માં ચોંકાવનારો વળાંક આવ્યો હતો……
બનાવના પગલે ભરૂચ એસ ઓ જી પોલીસે રાકેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેણે કોની પાસે થી હથીયાર ખરીદયા હતા તેની વિગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવા ની કવાયત હાથધરી છે….
Advertisement

Share

Related posts

નેત્રંગ તેમજ શુક્લતીર્થનાં નવા વેક્સીનેશન સેન્ટર પર લોકોની ભીડ ઉમટી !

ProudOfGujarat

ભરૂચ તાલુકાના જુના નંદાદેવી મંદિરે બાળ સ્વરૂપ માતાજીએ કંકુના પગલા પાડતા દર્શનાથે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા

ProudOfGujarat

દહેજની વેલસ્પન કંપનીના 400 કમર્ચારીઓને ટ્રાન્સફર ઓર્ડર મળતા કામદારોમાં રોષ : કલેક્ટરને કરવામાં આવી રજુઆત.

ProudOfGujarat
error: Content is protected !!