Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામમાં હરસિદ્ધિ માતાજીનાં મંદિરનો દ્વિતીય સાલગીરી પાટોત્સવ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં સુણેવકલ્લા ગામે માહયાવંશી ફળિયામાં આવેલ શ્રી રાજ રાજેશ્વરી ( ૧૨ ) ગામની કુળદેવી હરસિદ્ધિ માતાજીનાં મંદિરની દ્વિતીય સાલગીરી પાટોત્સવ – મહોત્સવ કોસંબા ગામના ગાયત્રી ઉપાસક મુકુંદભાઈ મહારાજ, ધર્મેશભાઈ મહારાજના સાંનિધ્યમાં હોમ, હવન, યજ્ઞ કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માતાજીનાં ચંડી યજ્ઞમાં આઠ જોડા પૂજા કરવા બેઠાં હતા. ખૂબ જ સંગીતમય ધ્વનિમાં માતાજીની પૂજા – અર્ચના –આરતી – થાળ ગવાયા હતા. સુણેવકલ્લા અને સુણેવખુર્દ ગામમાં માતાજીનો વરઘોડો – ગરબા અને ભજન કીર્તન સહિત સમગ્ર ગામમાં ફેરવવામાં આવ્યો હતો. મુખ્ય યજમાન પદે ખરચ ગામના રમેશભાઈ એન.પરમાર, જયાબેન આર.પરમાર હાજર રહ્યા હતા. મહિલા મંડળની બહેનોએ ભજનની રમઝટ બોલાવી હતી. સાંજે ૭:૧૫ કલાકે વાલનેરના બાલુભાઈ પટેલે હાથની કળાની ચાલાકીથી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. રાત્રે ૧૦:૦૦ કલાકે ભવ્ય લોક ડાયરો ગીતાબેન વાંસીયા (ટી.વી.કલાકાર),જમીયતભાઈ પટેલ (ગાયક કલાકાર) અને દલપતભાઈ પરમાર (હાસ્ય કલાકાર), બેંજો વાદક નેહલકુમાર, તબલાવાદક જિગ્નેશભાઈ- રાહુલભાઈ,મંજીરા – કમલેશભાઈ- શિવ રંજની સાઉન્ડના સથવારે મોજ માણવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

આજે નર્મદા જિલ્લામાં 31 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

જુના ગડોદરમાં ભાજપના કાર્યકર પર આપના ઉમેદવાર સહિત 6 નો હુમલો.

ProudOfGujarat

ભરૂચનાં આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી કર્યો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!