Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના બિસ્માર માર્ગનું કામ ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી કર્યો વિરોધ પ્રદર્શન.

Share

ભરૂચ નગરપાલીકા હદ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર અવસ્થામાં છે, કેટલાય વોર્ડના એવા વિસ્તાર છે જયાં આજદિન સુધી બિસ્માર બનેલ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી. ભરૂચના વોર્ડ નંબર ૧૦ માં પણ કેટલાય વિસ્તારોમાં રસ્તા આજે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે,જેને પગલે પાલીકા સામે લોકોમાં રોષની લાગણી છવાયેલી જોવા મળી રહી છે.

આજરોજ વોર્ડ નંબર ૧૦ ના AIMIM ના કોર્પોરેટરએ સ્થાનિકોને સાથે રાખી રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, આલી ઢાળથી કતોપોર દરવાજા સુધીના માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોય તેમજ અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માર્ગનું સમારકામ ન કરવામાં આવતા આખરે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી ભરૂચ નગરપાલિકા સામે રોષ વ્યકત કર્યો હતો.

Advertisement

મહત્વનું છે કે કતોપોર દરવાજા સુધીના આ માર્ગ ઉપર અનેક વેપારીઓ પોતાનો ધંધો રોજગાર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે,આ વિસ્તારમાં રોજની હજારો લોકોની અવરજવર હોય છે પરંતુ બિસ્માર માર્ગના પગલે આ વિસ્તારોમાં ખરીદી કરવા આવતા લોકો જતા અચકાય છે જેની સીધી અસર વેપાર ધંધા ઉપર પડે છે ત્યારે અવારનવાર પાલિકામાં વેપારીઓએ રજુઆત કરવા છતાં આજદિન સુધી રસ્તાની કામગીરીને લઈ કોઈ નક્કર જવાબ ન મળતા હવે સ્થાનિક વેપારીઓ અને પ્રજાએ પાલીકા સામે મોરચો માંડી રસ્તા પર ઉતરી આવી સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો હતો અને વહેલી તકે રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ONGC દ્વારા બસ સ્ટેન્ડનું બ્યુટીફિકેશન કરાયું.

ProudOfGujarat

જૈનોના પરમ પાવન પર્યુષણના દિવસો ધર્મપ્રેમથી આગળ વધી રહ્યાં છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!