Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની અનોખી ઉજવણી કરાઇ.

Share

આજે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય સમગ્ર ગુજરાતમાં બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચમાં શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે આજના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ ખાતે આવેલી કલરવ સ્કૂલ તેમજ દુબઈ ટેકરી ખાતે સ્કુલ બેગ, કંપાસ બોક્સ અને ચોકલેટનું બાળકોને વિતરણ કરી આજના દિનની અનોખી ઉજવણી કરેલ હતી. આજે બાળકોને સામગ્રી વિતરણ સમયે શ્રી શંકર સેવા ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઇ પટેલ, ઉપ-પ્રમુખ ઉર્વીશભાઈ ઠાકુર સહિતના ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

એન.પી.એસ ના સ્થાને જૂની પેન્શન યોજના અમલી કરવા તારીખ 30/ 6 /2021 ના રોજ ટવીટર અભિયાનમાં જોડાવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આહવાન.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી માલિકોને પરત સોંપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!