Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની અનોખી ઉજવણી કરાઇ.

Share

આજે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય સમગ્ર ગુજરાતમાં બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચમાં શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે આજના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ ખાતે આવેલી કલરવ સ્કૂલ તેમજ દુબઈ ટેકરી ખાતે સ્કુલ બેગ, કંપાસ બોક્સ અને ચોકલેટનું બાળકોને વિતરણ કરી આજના દિનની અનોખી ઉજવણી કરેલ હતી. આજે બાળકોને સામગ્રી વિતરણ સમયે શ્રી શંકર સેવા ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઇ પટેલ, ઉપ-પ્રમુખ ઉર્વીશભાઈ ઠાકુર સહિતના ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉભેલાં બોઇલર ટેલરમાં ઇકો ભટકાતાં ઝઘડિયાની વીરફાર્મા કંપનીના કર્મીઓ ઘવાયાં

ProudOfGujarat

ભરૂચ : મીડિયાનાં અહેવાલો બાદ કોંગ્રેસનાં આગેવાનોએ સરકારી કચેરીઓમાં લોકડાઉનનાં સમયમાં સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ કિટો જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ : ડેડીયાપાડાનાં પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડતા ખેડૂતોનાં પાકોને નુકસાન અંગે વળતર આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!