Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ પ્રવાસીઓને વિતરણ કરાયા.

Share

“આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી” સંદર્ભે તા.૧૩ થી તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૨ દરમિયાન “હર ઘર તિરંગા” ના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સંદર્ભે SOUADTGA વહીવટીતંત્ર દ્વારા સુચારૂ રૂપે આયોજન કરવામાં આવ્યુ છે, જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર દ્વારા CISF ના માધ્યમથી અત્રે આવનાર પ્રવાસીઓને ૧૦૦૦ જેટલા રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ પ્રવાસીઓને આ રાષ્ટ્રધ્વજ પોતાના મકાન પર ફરકાવવા અપીલ કરી હતી.

રાષ્ટ્રધ્વજ વિતરણ દરમ્યાન SOUADTGA ના અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ કલેકટર ડૉ. મયુર પરમાર, નાયબ કલેકટર કુલદિપસિંહ વાળા, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંઘ, ઇન્સપેકટર સર્વ મહેન્દ્ર જગદેવ, શૈલેન્દ્ર કુમાર, સબ ઇન્સ્પેકટર સર્વ નરવીરસિંઘ, ભરતસિંઘ રાઠોડ, કોન્સ્ટેબલ પિન્ટુનાથ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

-૬૯ માં પ્રજાસત્તાક દિન ની ભરૂચ જીલ્લા ના હોસ્ટેલ ગ્રાઉન્ડ તેમજ શહેર માં ઠેરઠેર હર્ષો ઉલાશ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……

ProudOfGujarat

ભરૂચની નર્મદા નદી પર નવા બનેલા બ્રિજ ખાતે ગુડસ ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું

ProudOfGujarat

પાલેજ નગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા ડી જી વી સી એલ કચેરીનું કામકાજ ખોરવાયુ,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!