Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ગૌ હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

Share

માંગરોળ તાલુકાના કોસાડી ગામના કનવાડા ફળિયાનો ગૌ હત્યાના ગુનામાં સંડોવાયેલો અને દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપીને એસ ઓ જી ની ટીમે કનવાડાથી ઝડપી લીધો હતો.

એસ ઓ જી શાખાના પી આઈ એમ એમ ગિલાતરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને શોધી રહ્યા હતા ત્યારે એસ ઓ જી ના પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે કોસાડી ગામના ગૌ હત્યાના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી અર્જુન કરસન વસાવા કનવાડાના બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળી હતી જેને આધારે રેડ કરવામાં આવતા આરોપી અર્જુન કરસન વસાવા રહે. કોસાડી ગામ કનવાડા ફળિયું તાલુકો માંગરોળને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીએ સુલેમાન સલીમ ભીખુ રહે કોસાડી ગામ દ્વારા બે ગાયોની કતલ ખાડીમાં કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

જામનગરમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ખાતે ‘ઇન્ડોર ગેમ્સ કોમ્પલેક્ષ’નું ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

અમદાવાદ જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, રિપોર્ટીંગ બંધનું એલાન.

ProudOfGujarat

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઉર્વશી રૌતેલાએ પૂછેલ પ્રશ્ન જે ખૂબ વાયરલ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!